દમિત્રિ મેન્ડેલીવ
પિરિયોડિકલ ટેબલનો શોધક ઃ દમિત્રિ મેન્ડેલીવ

દમિત્રિ મેન્ડેલીવનો જન્મ ઈ.સ. ૧૮૩૪માં સાઈબિરિયાના ટોબોલ્સ્ક ગામે થયો હતો. સેન્ટ પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થયા બાદ તે પ્રોફેસર બન્યો હતો. દમિત્રિ તેની શરૃઆતની કારકિર્દીમાં જ એક અગ્રણી વિજ્ઞાાની તરીકે પ્રસિધ્ધ થયો. તેણે હાઈડ્રોડાયનેમિક, ભૂસ્તર શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરેલો. પિરિયોડિકલ ટેબલ તેની મહાન શોધ બની. તેણે રશિયામાં મેટ્રિક સિસ્ટમ દાખલ કરેલી. તેણે એક સળંગ પણ ધૂમાડો ન નીકળે તેવા પદાર્થની શોધ કરેલી. જીવનભર વિજ્ઞાાન સાથે સંકળાઈને તેણે ઘણા એવોર્ડ મેળવેલા. તે બ્રિટનની રોયલ સોસાયટીનો સભ્ય પણ બનેલો. તેણે વિજ્ઞાાનના શિક્ષણ માટે પણ ઘણાં યોગદાન આપેલા. એ પ્રોજેક્ટ ફોર સ્કૂલ ટીચર તેનું પ્રસિધ્ધ પુસ્તક છે. ૧૯૦૭ના ફેબ્રુઆરીની બીજી તારીખે તેનું અવસાન થયેલું.
Source: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/table-finder-periodic-fall-dmitri-mendeleev
Comments
Post a Comment